કુદરતનો નિયમ છે –
કોઈ પણ કર્મ કરતા પહેલાં આપણી અંદરથી એક અવાજ આવે છે કે જે આપણને સમજણ આપે છે કે આ કર્મ કરવા યોગ્ય છે કે નહી...
મોટે ભાગે આપણને આ અંદરનો અવાજ સંભળાય જ છે....
જો આપણે એને સમજી લઇને અનુસરી શકીએ, તો એ કર્મની ફળશ્રુતિથી આપણો ઉર્ધ્વગતિ તરફનો માર્ગ મોકળો થાય છે;
પણ, આપણે ટૂંકી દ્રષ્ટીના માણસો આ સંકેતનો એવો સગવડિયો અર્થ કરીએ છીએ જેમાં આપણને તરતનો લાભ અથવા તરતનું મનગમતું પરિણામ દેખાતું હોય...
અને આવા લાભ માટે આપણે એ કર્મ કરવાનો કે નહી કરવાનો નિર્ણય લઈ છીએ...
આવા જ ટૂંકી દ્રષ્ટીથી કરેલા કર્મો આપણી અધોગતિનો રાજમાર્ગ નિર્માણ કરે છે....