#Kavyotsav_2
# આધ્યાત્મિક
લલાટે લખ્યું ભાગ્ય સ્વિકારી હું ચાલું ,
કર્મનું ફળ મળશે આવકારી હું ચાલું!
સમય સમાન રહેશે નહીં સદાય માટે,
વિપરીત સંજોગોને હરાવી હું ચાલું!
પડકારો આવશે પથમાં દરેક પગલે,
હિંમતભેર એક ડગલું ભરી હું ચાલું !
હાર અને જીત ક્રમ છે આ જીવનનો,
બાજી મારા જીવનની ખેલી હું ચાલું !
ઈશ્વર પર રાખું છું અતૂટ ભરોસો,
આશિષ મનમાં અનુભવી હું ચાલું!
ડો.સેજલ દેસાઈ
સુરત