કોઈએ કહ્યું છે કે નવલકથા એ સાહિત્ય નું નીચલી હરોળનું લખાણ છે જેમાં કોઈ પ્રકારનો સંદેશ હોતો નથી કે એમાંથી કંઈપણ શીખવા નથી મળતું..પણ જો એ નોવેલ ડણક હોય તો એ વાત ખોટી પડતી માલુમ પડે છે..મિત્રતા,પ્રેમ,જાતિવાદી માન્યતાઓ,સમાજ ની વિચારધારા,પ્રકૃતિ અને વનકેસરી સાવજ ની તકલીફો ને અસરકારક રીતે આ નોવેલ રજૂ કરે છે..મારી બહેન દ્વારા લખાયેલી આ નોવેલ વાંચ્યા બાદ હું પણ એનાં પર ગર્વ મહેસુસ કરું છું...જો ના વાંચી હોય તો ગુજરાત ની દેશી ગીર ની ધરતી નોવેલ ડણક અચૂક વાંચવા જેવી છે..આખી નોવેલ માતૃભારતી ઉપલબ્ધ છે.