#Kavyotsav
#મળતો નથી ખજાનો.
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
સઘળું જતું કરી જાવું પડે છે જગત ના દરબારમાં,
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
શુ તારું, શું મારુ કર્યાં કરી, જાવું પડે છે નરકમાં.
છોડી દે સ્વાર્થ, પછી જ ઉચ્ચ સ્થાન મળે છે સ્વર્ગમાં.
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
ખુબ સમજાવ્યો, પણ જરા માન્યો નય સંસાર માં.
પુરો 'મહિમા' ખોય જાવું પડે છે, ઈશ્વર ના ધામમાં,
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
ક્યાંક રાખ થઈ, તો ક્યાંક ચણાંવુ પડે છે કબરમાં.
મળતો નથી ઈશ્વર, ખુબ કામ કરવું પડે છે સંસારમાં.
સઘળું જતું કરી જાવું પડે છે જગત ના દરબારમાં,
દુનિયામાં આવ્યા પછી જરા પણ શાંતિ નથી રદયમાં,
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
સઘળું જતું કરી જાવું પડે છે જગત ના દરબારમાં,
- સંગીઅખિલ 'અખો'
____________________________________
આવુ જ સાહિત્ય વધારે વાંચવા નીચેની લિંક ઓપન કરો.
https://m.facebook.com/AuthorSangeeakhil/?ref=bookmarks