ચંદનનો બગીચો
એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.
આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.
ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.
એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.❗
તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કેઃ
'ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..?
ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે.'❗
બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો.
લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા.
તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો.તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી,
ત્યારે રાજાએ જવાબ આપ્યો કેઃ આવો ઉ૫હાર વારંવાર મળતો નથી.
આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે.
?
*માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કેઃ*
*હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો, ‼❗*
પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી.
?
માટે હે માનવ:
*આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે ત્યારે*
*તું તારા આત્મા ને જાણી લે*
*તે અનંત ગુણો થી ભરેલો છે*
તેનો અનુભવ કર ,
તેને ભુલ નહી,
તેની કીમત ભુલીને તુ તારો અમુલ્ય મનુષ્ય ભવ વેડફી રહ્યો છે,
આ સંસાર મા તુ બળી રહ્યો છે ,
શા માટે તુ રાખને માટે રતન ને
(રત્ન ને ) બાળી રહ્યો છે .
આવો મનુષ્ય ભવ જલદી પાછો નહી મળે .
?? ?????
???? *जय श्री राम*????