#MERAKRISHNA
કૃષ્ણ એટલે કાળાવાસ નો અંધકાર પણ અને વૈકુંઠ નો અજવાસ પણ,પ્રેમ ની સૂક્ષ્મતા પણ અને ગીતા ની ભવ્યતા પણ,ગોકુળ ની વાંસળી નો સૂર પણ અને કુરુક્ષેત્ર ના શંખ નો નાદ પણ.જ્યાં કણ ત્યાં કૃષ્ણ.પણ મારા માટે કૃષ્ણ ની વાત કરું તો જેમ કોઈ વૃક્ષ માટે સૂર્ય એમ મારા માટે મારા કૃષ્ણ.વૃક્ષ ઈચ્છે કે ના ઈચ્છે સૂર્ય તેનો પ્રકાશ વરસાવસે જ.એજ રીતે હું ઈચ્છું કે ના ઈચ્છું કૃષ્ણ નો પ્રભાવ કૃષ્ણ નો સ્પર્શ મને સ્પર્શયા વગર નહીં રહે.વૃક્ષ ની જેમ હું કાલે નહતો અને કાલે કદાચ નહીં હોઉં પણ મારો કૃષ્ણ અનાદિકાળથી થી હતો,છે અને રહેશે.