Title: ખાટલાનાં ચાર પાયા
ખાટલાના પાયા મજબૂત હોય તો એનું અભિમાન ખાટલાને તો હોવાનું જ. આવું જ
ગર્વ જય, જ્યોત, આનંદ અને ઉલ્લાસની દોસ્તીનું પણ હતું. ભગવાને શરીર જ અલગ
ઘડ્યાં હતા, પણ અંતરથી તો ચારેય એક. એવું દરેક ને લાગતું અને હતું પણ ખરું.!!
કહેવાય છે ને નજર સારપને જ લાગે. જય અને જ્યોત વચ્ચે જ્યોતિ માટે સળગેલી
ચિનગારીને એ હદે હવા લાગી કે ઘણાંય ચોમાસા વિત્યા પણ આ આગ શાંત નાં થઇ.
મજબૂતાઈ નાં ભરોસા સાથે લોકો ખાટલા(દોસ્તી) પર બેસે તો છે પણ વીતેલા
ચોમાસાઓમાં પડેલા માંકડો પાયાઓને(દોસ્તોને) ખાઈ ગયા છે.”
લેખક દીપ મ. પટેલ.
#FRIENDSHIPSTORY