હરેક એ મનગમતાં સંબંધો માં સંજીદાપનું કેમ આવી જાય છે!?
વિસ્મય થાય છે ખૂબ જ રાચરચીલું શુકામને અપ્રિય બની જાય!
શુ ઉતરદાયી છે આનું!?
સમય સંજોગ કે વ્યક્તિ!!!!?
ક્યાંક બસ લાગણી ભર્યા તાંતણા ઓ નો તૂટવાનો સન્નાટા ભર્યો અવાજ આવે છે
તો ક્યાંક કલેશ ભર્યા કંકાશો નો કહેર તૂટી પડે છે
શીદ ને દરેક વ્યક્તિ નો અહમ ઘવાય છે !
કેમ કોઈ બાંધછોડ કરી જ નથ શકતું
ક્રિષ્ન ની બનાવેલી આ દુનિયા આટલી છીછરી છે!!
હા પાછું એ વાત છે અણગમતું મનગમતુ કરવાની ક્ષમતા છે
પણ મનગમતાં સાથે એ અણગમા ભર્યો વ્યવહાર ઓછો કરવાની જરા પણ બુદ્ધિમત્તા નથી..સ્વીકારવું જ રહ્યું આ તો!!
ઠેર ઠેર જાણે કામચલાઉ રિસ્તાઓ ના તો ઉધોગો ચાલુ છે
પણ એમાં એક પણ મનગમતી ઇમારત નથી હોતી!!
એ ઇમારત ની હરેક દીવાલ અલગ અલગ રંગો થી રંગેલી હોય છે પણ તાજ્જુબ ની વાત એ છે આટઆટલા રંગો હોવા છતાં માંહે થી ખૂબ બેરંગ હોય છે દરેક ની એ દુખતી રગ..!
માન્યું દરેક વ્યક્તિ ભૂલ થી ભરેલું છે
પણ સમજુ પાસે તો માફ કરવાની ક્ષમતા હોવી જોઇએ ને..પરંતુ અફસોસ એ પણ આ જેવા સાથે તેવા ની દેખાદેખી માં અવ્વલ આવવા માંગતો હોય છે!!
જરીક વાર માં કોણ હું કોણ તું થઈ જઈએ છીએ શુ કામ..શુ કામ..???..માત્ર સ્વાર્થ પૂરતા જ સંબંધો હોય!!
એટલે જ નિઃસ્વાર્થ તો કદાચ આ દુનિયામાં માત્ર એક શબ્દ જ રહી ગયો છે!
બસ જ્યાં જુવો ત્યાં અણગમતા મહોરા પેરી ને નીકળ્યો છે દરેક વ્યક્તિ સફળતા ની શિખરો ચડવા!!
દુઃખ સુખ એ તો સંજોગ છે ને આવવા જોઈ એ સહુ ની જીંદગી માં..નકર થોડી ના મહતમ રે આ જીવતર નું!!
પણ એ દુઃખ સુખ રૂપી વેળા ઓ ને જ ભેળસેળ કરી ને તો જીવવાનું છે, બસ સમજી જા ઓ મનુષ્ય એકલા જ આવ્યા છીએ ને એકલા જ જવાનું છે
પણ એ મધ્યમાં ઘણાં ઓ ને સાથે લઈને ને ઘણાં ઓ નો સાથ લઈને જ જીવવાનું છે...પણ સ્વાર્થ ને ષડ્યંત્ર વિના!!!!!
-Hina modha