Quotes by અશ્વિન રાઠોડ - સ્વયમભુ in Bitesapp read free

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

@ashwinrathod6053

કવિતા – શીર્ષક: "કરુણાનો લેપ"

​પગમાં હતી ઈજા ને વેદના હતી ભારી,
ચાલવું હતું મુશ્કેલ, ત્યાં મળી મમતા ન્યારી.
બેન ના હાથમાં આવતા જ જાણે, દુઃખ ગયા સૌ ભૂલાઈ,
અબોલ જીવને મળી અહીં, "મા" ની ગોદ જેવી સગાઈ.

​માટીનો લેપ લગાવ્યો પ્રેમે, ને પાયું શીતળ નીર,
મૂંગા આશિષ આપતી એ, હરી લીધી સઘળી પીડ.
પ્રભુ રામને હતી જે વ્હાલી, જેને પીઠ પર રામનો હાથ,
એની સેવામાં આજે મળ્યો, ઘરના નાના બાળકનો સાથ.

​બાળકની હૂંફ અને નિર્દોષ સ્નેહની, મળી જ્યાં સંજીવની,
દોડી ગઈ એ વૃક્ષની ડાળે, શરૂ થઈ નવી જીવની.
ભાગતી જોઈ એને, દિલમાં થયો છે આજે પરમ સંતોષ,
એમના આ કાર્યમાં નથી કોઈ સ્વાર્થ, બસ છે પ્રેમ ને લાગણી નો "સ્વયમ’ભુ"નિસ્વાર્થ.
- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

કવિતા – શીર્ષક: "કરુણાનો લેપ"

પગમાં હતી ઈજા ને વેદના હતી ભારી,
ચાલવું હતું મુશ્કેલ, ત્યાં મળી મમતા ન્યારી.
બેન ના હાથમાં આવતા જ જાણે, દુઃખ ગયા સૌ ભૂલાઈ,
અબોલ જીવને મળી અહીં, "મા" ની ગોદ જેવી સગાઈ.

માટીનો લેપ લગાવ્યો પ્રેમે, ને પાયું શીતળ નીર,
મૂંગા આશિષ આપતી એ, હરી લીધી સઘળી પીડ.
પ્રભુ રામને હતી જે વ્હાલી, જેને પીઠ પર રામનો હાથ,
એની સેવામાં આજે મળ્યો, ઘરના નાના બાળકનો સાથ.

બાળકની હૂંફ અને નિર્દોષ સ્નેહની, મળી જ્યાં સંજીવની,
દોડી ગઈ એ વૃક્ષની ડાળે, શરૂ થઈ નવી જીવની.
ભાગતી જોઈ એને, દિલમાં થયો છે આજે પરમ સંતોષ,
એમના આ કાર્યમાં નથી કોઈ સ્વાર્થ, બસ છે પ્રેમ ને લાગણી નો "સ્વયમ’ભુ"નિસ્વાર્થ.
- અશ્વિન રાઠોડ - "સ્વયમ’ભુ"

Read More

અછાંદસ કાવ્ય:–​ શીર્ષક: "માટીનો ભેદ"

​ઘડનારા એ જ્યારે ચાકડો ફેરવ્યો હશે,
ત્યારે ક્યાં હાથમાં કોઈ ત્રાજવું હતું?
એણે તો બસ શ્વાસ ફૂંક્યો ને માણસ સર્જ્યો,
ના કોઈ ‘હું’ હતું, ના કોઈ ‘તું’ હતું.

​આ તો નીચે ઉતરીને આપણે ચિતર્યા નકશા,
અભિમાનની વાડ બાંધી, નામ આપ્યું ‘તફાવત’.
કોઈ મથુરાના મોહમાં, કોઈ ગોકુળના સ્નેહમાં,
પણ જેને છોડતાં આવડ્યું, એ જ પામ્યો ‘જગતગુરુ’નું પદ.

​તું કહે છે, “આ મારું, પેલું તારું”,
પણ અંતે તો રાખમાં ક્યાં કોઈ રંગ હોય છે?
સુખમાં ભાગીદાર ઘણા, પણ દર્દમાં એકલા,
ત્યાં પણ વળી પાછો આ તફાવતનો સંગ હોય છે!

​ખરેખર તો...
આ અદલા-બદલીના ખેલ તો માણસે રચ્યા છે,
બાકી ઉપરવાળાની નજરમાં તો,
બધા જ ‘સ્વયમ’ભુ’ના અંશ છે,
ત્યાં ક્યાં કોઈ ભેદ કે ભરમ બચ્યા છે?

અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"

Read More

"ગઝલ" શિર્ષક: "ફર્ક હોતા હૈ"

​બનાને વાલે કી રચના ખુબ સુરતથી, કોઈ ખામી ન થી,
મગર ઇન્સાન કી અપની નઝર મેં ફર્ક હોતા હૈ.

​બનાને વાલે ને મિટ્ટી લેકર સિર્ફ પૂતલા હી બનાયા થા,
યે હમ હૈં જિસને બાંટા હૈ, બશર મેં ફર્ક હોતા હૈ.

​ત્યાગ દે જો મોહ માયા, વહી રામ ક્રિષ્ન બનતા હૈ,
કિસી કે બોલને મેં ઔર અસર મેં ફર્ક હોતા હૈ.

​અકેલે દર્દ સહના હો, યા સબ કુછ પા લિયા હો તુમને,
જહાં મેં હર કિસી કે બસ સફર મેં ફર્ક હોતા હૈ.

​"સ્વયમ’ભુ" ખેલ સારા યે દિલોં કી અદલા-બદલી હૈ,
વરના પથ્થરો મેં ઔર જિગર મેં ફર્ક હોતા હૈ.

​- અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"

Read More

અછાંદસ કાવ્ય:શીર્ષક: "માત્ર નામ નહીં, એક અહેસાસ"

એક જ અસ્તિત્વ,
અને કેટકેટલા સંબોધન!

યશોદાના આંગણે એ લાલો છે,
તો ગોપીઓના મનમાં રાસ રમતો કાનુડો.
ક્યારેક એ માખણની મટકી ફોડતો માખણચોર,
તો ક્યારેક ગાયોની ધૂળમાં રગદોળાતો ગોવાળિયો.

જુઓ તો ખરા,
એના વ્યક્તિત્વના રંગો!

વાંસળીના સૂર છેડે ત્યારે મુરલીધર,
ટચલી આંગળીએ પર્વત તોળે ત્યારે ગિરધારી,
અને રણ મેદાન છોડીને ભાગે...
ત્યારે એ રાજા રણછોડ.

અને એતો સૌરાષ્ટ્રનો કારીયા ઠાકર છે,
તો વળી પ્રેમમાં રંગાયેલો શ્યામ પણ.
કોઈ એને ગોપાલ કહીને બોલાવે,
તો કોઈ લાડથી કહે કનૈયો.

પણ અંતે તો,
એ સોનાની નગરીનો દ્વારકાધીશ,
અને આ જગતને જ્ઞાન આપનારો જગદગુરુ,
અને એ પળેપળે રૂપ બદલતો,
મારો વ્હાલો "સ્વયમ’ભુ"લીલાધારી શ્રી કૃષ્ણ.

અશ્વિન રાઠોડ"સ્વયમ’ભુ"

Read More

અછાંદસ કાવ્ય...શીર્ષક: યુગોનું શાશ્વત ગાન - ગીતા

​રણભેરીઓના ભયાનક ઘોંઘાટ વચ્ચે,
જ્યારે શસ્ત્રો ટકરાવા તત્પર હતા,
ત્યારે સમયની એક ક્ષણ થંભી ગઈ...
અને સર્જાયું વિશ્વનું શ્રેષ્ઠ કાવ્ય!

​સારથિના સ્થાને બેઠેલા ઈશ્વરે,
માત્ર રથને જ નહીં,
પણ રથીના મનને દિશા આપી હતી.

​એ ગાંડિવધારી અર્જુન તો...
માત્ર એક નિમિત્ત હતો, એક બહાનું હતું!
એ વિષાદ માત્ર એક યોદ્ધાનો નહોતો,
એ મૂંઝવણ હતી આવનારા પ્રત્યેક યુગની.

​એ સંવાદ, કુરુક્ષેત્રની માટી પૂરતો સીમિત નહોતો,
એ તો હતો અનંત આકાશ જેવો વ્યાપક.
જેમાં અર્જુનના ખભા પર બંદૂક મૂકીને,
કૃષ્ણએ વીંધી નાખ્યો છે...
કાળના દરેક માનવીનો અજ્ઞાનરૂપી અંધકાર!

​આજે પણ,
જ્યારે જ્યારે મનનું કુરુક્ષેત્ર ધખે છે,
અને કર્તવ્ય સામે પ્રશ્નાર્થ ખડા થાય છે,
ત્યારે એ સાતસો શ્લોકનું 'મહાકાવ્ય',
કવિતા મટીને...
જીવન જીવવાની જડીબુટ્ટી બની જાય છે.

​આ ગીતા,
માત્ર પુસ્તકમાં કેદ શબ્દો નથી,
પણ માનવજાતના ઉત્થાનનું
એક અખંડ, "સ્વયમ’ભુ’"અવિરત ગુંજન છે!

અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ’"

Read More

વિષય:"ભીડમાં ભીંસાતું મોરબી"

શીર્ષક: હવે શ્વાસ રુંધાય છે.

​નળિયા ને ઘડિયાળની જેની જગતમાં શાન છે,
પણ જુઓ આજ મોરબી ટ્રાફિકથી પરેશાન છે.

​વસ્તી વધી ને વાહનોની લાઈનો પણ વધી ગઈ,
વિકાસના આ વેગમાં રસ્તા હવે વેરાન છે.

​એક ગાડીમાં બેસી એકલો માણસ ફરે અહીં,
ખોટી છે એ જીદ, ને ખોટું મોટું અભિમાન છે.

​જો સહિયારી સવારીની સમજણ કેળવી શકો,
તો ઈંધણ બચે, સમય બચે, એમાં જ કલ્યાણ છે.

​સાંકડી ગલીઓમાં વિકાસ ક્યાં જઈને શોધવો?
ભીડમાં ભીંસાતું શહેર, જાણે અટકેલા પ્રાણ છે.

​આવો મળીને સૌ કરીએ પહેલ "સ્વયમ’ભુ’"પરિવર્તનની,
તો જ રહેશે સચવાઈ જે 'સિરામિક'ની આન છે.

અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ’)

Read More

અછાંદસ કાવ્ય: શિર્ષક: (જીવનનો વળાંક ને નવી દિશા)

સમય
​ન તો તે સાથી છે,
ન તો તે દુશ્મન.

​બસ, એક અદ્રશ્ય રેતી છે,
જે હથેળીમાંથી સરક્યા જ કરે છે.

​આપણે દોડીએ છીએ, થાકીએ છીએ,
પણ એના પગલાંની ધૂળ ક્યારેય બેસતી નથી.

​અને જીવનના આ વળાંકો...
એ અચાનક આવે છે,
જેમ નકશામાં ન હોય એવી નદી.

​પહેલાં તો ડર લાગે છે,
કે શું થશે હવે? ક્યાં જઈશું?
પણ એ વળાંક જ,
આપણને નવી દિશા આપે છે.

નવો સૂરજ,
નવી હિંમત.
​ઠોકર વાગ્યા પછી ઊભા થવું,
એ વળાંકનો સૌથી મોટો પાઠ છે.
​ક્યાંય રોકાવું નહીં,

કારણ કે,
વળાંક પછીની શાંતિ જ
"સ્વયમ’ભુ’"સાચી મંઝિલ હોઈ છે.

અશ્વિન રાઠોડ સ્વયમ’ભુ’

Read More

શૃંગાર દ્વારા મળેલું સૌંદર્ય ક્ષણિક અને બાહ્ય હોય છે, જ્યારે સંઘર્ષમાંથી નિખરેલું તેજ અંતરઆત્માની શક્તિ અને અનુભવોનો નિચોડ છે. સફળતા સુધીની સફરમાં સ્ત્રી જે શ્રદ્ધા, હિંમત, આત્મવિશ્વાસ, આશા અને દ્રઢ સંકલ્પ સાથે ચાલે છે, તે ગુણો જ તેના વ્યક્તિત્વને સાચી દિવ્યતા અને સ્થાયી સૌંદર્ય પ્રદાન કરે છે.

​ખરેખર, જે સ્ત્રી બહારથી સજીધજીને આવે છે, તેની સુંદરતા આંખને ગમે છે; પણ જે સ્ત્રી સંઘર્ષના અગ્નિમાંથી તપીને સફળતા હાંસલ કરે છે, તેની સફળતાની ગાથા હૃદયને સ્પર્શે છે અને લાખોને પ્રેરણા આપે છે. સંઘર્ષમાં છુપાયેલી એ મહેનત જ સફળતાને વધારે સુંદર અને મૂલ્યવાન બનાવે છે.

​'શૃંગાર કરતી સ્ત્રીની સુંદરતા કરતા સંઘર્ષ કરતી સ્ત્રીની સફળતા વધારે સુંદર હોય છે.' - આ વાત સ્ત્રીના આંતરિક સામર્થ્યને સર્વોચ્ચ સ્થાને મૂકે છે.

:– અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ’"

Read More

(ગઝલ) શિર્ષક: "તું ભલે ન મળે"

હૃદયમાં સદા હું તને ઝંખતો, તું ભલે ન મળે,
છતાં હોઠથી વાત ના નીકળે. તું ભલે ન મળે,

​ખબર છે મને કે નથી તું અહીં, તું ભલે ન મળે,
છતાંયે નજર રાહ તારી ભાળે. તું ભલે ન મળે.

​નજર તું કરે તો દિવસ ઊગે છે, પછી તું ભલે ન મળે,
નજર ફેરવે તું તો સિતારા ખરી પડે. તું ભલે ન મળે,

​તારા સ્મિતે એક દુનિયા રચી, તું ભલે ના મળે,
મને એ જ દુનિયા ગમે, તું ભલે ન મળે.

​બનીને રહું છું તારો એક પડછાયો, તું ભલે ન મળે,
તને ક્યાં ખબર, હું કેવો તને ચાહું, તું ભલે ન મળે.

​તને જોઈ લવ, કાયમ પ્રાર્થનામાં, તું ભલે ન મળે,
બીજી કોઈ ઇચ્છા ભલે કદી ના ફળે, તું ભલે ન મળે.

​તારા સુખોની હું માગું દુઆ, તું ભલે ન મળે.
મને દર્દ દે, તોય હસવું ગમે. તું ભલે ન મળે.

​તું યાદ રાખ કે ના યાદ રાખ મને, હું યાદ રાખું, તું ભલે ન મળે
"‘સ્વયમ’ભુ’ મે તો તને જ યાદ રાખી કાયમ દિલમાં, તું ભલે ન મળે.

અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ’)

Read More