police nu kon in Gujarati Motivational Stories by Mast Kalandar books and stories PDF | પોલીસ નું કોણ

Featured Books
Categories
Share

પોલીસ નું કોણ

એ પોલીસનું કોણ???

☘️ થોડા દિવસ પહેલા હૈદરાબાદ માં વેટરનીટી ડોકટર સાથે જે લોકોએ દુષ્કર્મ કર્યું અને તે આરોપીઓને ઝડપવા ગયેલા આપણા પોલીસ અધિકારીઓ ની સામે ગુનેગારો એ ફાયરિંગ કર્યું અને વળતાં જવાબ  રૂપે પોલીસ જવાનોએ પણ ફાયરિંગ કરવું પડેલું... (ભલે એન્કાઉન્ટર કરેલું હોય છતાંય આપણે આવું જ કહીશું) 

☘️ સદરહુ ફાયરિંગ માં દુષ્કર્મ કરનારા ચારેય દોષીઓ  (મોહમ્મદ આરીફ, ચિંતાકુંતા ચીનાકેશવુલું, જોલું શીવા, જોલું નવીન) ને ઠાર મરાયા... આ આરોપીઓને નર્કે મોકલવામાં જે કોઈ વીર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ સાથ સહકાર આપ્યો તેમને આપણે બિરદાવ્યા..  અને તેઓના વખાણ કર્યા... વાહ.. વાહ... 


☘️ હવે આગળ શું થશે એની એ પોલીસ અધિકારીઓ ને તો જાણ હતી જ પરંતુ કદાચ આ ભોળી પ્રજા ને જાણ નહીં હોય..

☘️ આપણા દેશ ના અમુક હલકા લોકો કે જેઓ પ્રસિદ્ધ થવા ચાહે છે... પોતાનું નામ મીડિયા મા લાવવા ચાહે છે.. આવા હલકી માનસિકતા ધરાવતા લોકો એ સુપ્રીમ કોર્ટ માં પિટિશન ફાઇલ કરી છે (જી.એસ.મણી અને મુકેશકુમાર શર્મા) કે આ પોલીસ અધિકારીઓ અને જવાનો એ ખોટું કર્યું છે.. તેઓ જોહુકમી ચલાવે છે... આ એન્કાઉન્ટર ખોટું છે.. આ પોલીસ અધિકારીઓ ને સજા થવી જોઈએ... આમને સજા ફટકારો... તપાસ સમિતિ નિમો... વિગેરે વિગેરે... 

☘️ આ અનુસંધાને સુપ્રીમ કોર્ટ ની ત્રણ જજ ની બેંચે એવું કહ્યું છે કે આ એન્કાઉટર ની તપાસ દિલ્લી માં બેઠેલા કોઈ સુપ્રીમ કોર્ટ ના નિવૃત જજ કરશે.. આ નિવૃત જજ તપાસ કરશે અને જો પોલીસ અધિકારીઓ દોષી સાબિત થશે તો એમની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.. એટલે કે ખૂન નો ગુનો નોંધવામાં આવશે...

☘️ આપણે વાહ વાહ... કરીને તો બેસી ગયા.. પરંતુ એવી ચિંતા કરી કે જો એ પોલીસ જવાનો દોષી સાબિત થાય તો શું થાય?? હવે જે પોલીસ અધિકારીઓ એ આ એન્કાઉન્ટર માં સાથ આપ્યો હતો તેઓની વિરુદ્ધ શરૂઆત માં FIR ફાટશે... એને સસ્પેન્ડ કરાશે.... સસ્પેન્ડ થયેલા ને પગાર પણ અડધો જ મળે... અને જો દોષી સાબિત થાય તો એમને નોકરી પરથી ઉતારી દેવાશે... અને નોકરી જાય એટલે એની રોજી રોટી છીનવાઈ જાય...

☘️ આવું બને તો એમના કુટુંબ ની જવાબદારી કોની??...
☘️ એમના financial ખોટ જે ઉભી થાય એની જવાબદારી કોની??..
☘️ એમના બાળકો ના શિક્ષણ ની જવાબદારી કોની??...
☘️  સ્વ. ડૉ. પ્રિયંકા રેડી એ પોલીસ અધિકારીઓની તો દીકરી ન હતી છતાંય એનો બદલો આ અધિકારીઓ એ લીધો તો આ અધિકારીઓ ના ઘર ની જવાબદારી કોની??... 
☘️ શુ આપણે ક્યારેય વિચાર્યું છે આવું???
☘️ શુ એ પોલીસ અધિકારીઓ ના પત્નીઓ એમને નહીં કહે કે શું દોઢ ડાહયું થવાની જરૂર હતી?? શા માટે personal લેવાની જરૂર હતી?? આ બાબત ને personaly લેતા પહેલા તમે અમારા વિશે કાઈ વિચાર્યું જ નહીં??
☘️ એ ગુનેગારો ને કદાચ બે એક વરસ પછી પણ સજા મળી હોત તો તમને શું વાંધો હતો???
☘️ શુ આવું એમને સાંભળવા નહી મળે??? એમના ઘર અને સમાજ તરફથી પણ મળશે જ... દરેક માણસ ની સામાજિક જવાબદારીઓ ઘણી હોય છે.. કદાચ આપણે ક્યારેક જોઈ નથી શકતા..
☘️ આપણે તો વાહ વાહ કરીને નીકળી ગયા... પણ એમનું શુ થશે એવું વિચારવાની આપણે તસ્દી લીધી???
☘️ આજે પણ આ સમાચાર ટચુકડા સમાચાર રૂપે વર્તમાન પત્રો માં હતા..  કદાચ જેમણે આપણી બહેન દીકરી ની રક્ષા કરવા ખાતર એ ગુનેગારો ને ઠાર માર્યા એમને અત્યારે  પડતી હેરાનગતિ ની આપણને કલ્પના પણ નહીં હોય...

☘️ મારો કહેવાનો મતલબ આટલો જ છે કે આ એમની બહાદુરી જ છે.. તેઓને જેટલી બહાદુરી ફાયરિંગ કરવામાં નહતી જોઈતી.. એનાથી ત્રણ ગણી બહાદુરી એમને હવે કોર્ટ અને પોતાના સમાજ સાથે લડવામાં જોઈશે.. સાહેબ માણસો થાકી જાય હો...  એક અઠવાડિયું ઘરે નવરા બેસો તો ખબર પડે જ્યારે એમને તો ટેનશન રાખીને બેસવાનું છે... આવા કાર્ય માટે તો સ્ટીલ ના કાળજા જોઈએ સાહેબ...

☘️ કસાબ જેવા ને પણ અહીં પોતાની બેગુનાહી સાબિત કરવા માટે વકીલ મળી જાય તો આપણે સમજી શકીએ કે આપણા માં કેટલો દેશપ્રેમ ભર્યો છે... 😓😓😓

☘️ થોડો લાગણીશીલ છું એટલે કાંઈ વધુ બોલાઈ ગયું હોય તો માફી ચાહું છું..

………પીયૂષકુમાર "પીયૂ"………
12.12.2019