હિંસક
☘️ મારું સાસરું વેરાવળ (સોમનાથ) છે... હમણાં જ હું મારા ધર્મ પત્ની ને તેડવા માટે વેરાવળ ગયો.. કોઈ પણ માણસ વેરાવળ જાય અને સોમનાથ દાદાના દર્શન ન કરે તો જ નવાઈ... અને બીજે દિવસે સહપરિવાર સોમનાથ દાદાના દર્શન કરવા ગયા..
☘️ મંદિરે દર્શને ગયા એટલે સૌપ્રથમ તો દરેકે ઇલેક્ટ્રિક ગેઝેટ્સ એક સ્ટોરે જમા કરાવવાના હતા.. ત્યા જમા કરાવીને અંદર પ્રવેશ્યો.. મેઈન ગેટ પર બંદૂકધારી જવાનોએ મને તપાસ્યો.. ત્યાંથી આગળ ચાલ્યા એટલે બીજા ઠેકાણે ચેકીંગ.. ત્યાં પણ મને ચેક કર્યો... અને પછી ત્રીજા ઠેકાણે એ જ ચેકિંગ... ત્યારબાદ મંદિરમાં અંદર પ્રવેશ્યો એટલે જોયું તો ચારેય બાજુ સીસીટીવી કેમેરા.... એટલા કેમેરા કે ભગવાન પણ કંઈક હલન ચલન કરે તો એ પણ આ કેમેરા મા કેદ થઈ જાય... અને કેમેરા એટલા બધા ગોઠવ્યા હતા જાણે ઈશ્વર ની દ્રષ્ટિ આ કેમેરા એ લીધી ન હોય એવું લાગ્યું... દર્શન કરીને બહાર નીકળતો હતો ત્યારે મનમાં ને મનમાં પ્રશ્ન થયો...
💥 આમ તો ઘણી વાર દર્શનાર્થે જવાનું થાય પણ આ વખતે મનમાં એક પ્રશ્નો ઉદ્દભવ્યા...
☘️ ઈશ્વર ના મંદિર ને ડર કોનો? કોઈ હિંસક પશુનો તો નહીં જ હોય ને.. પણ ડર ખુદ માણસ નો જ ને....?
☘️ અને ડર પણ કેવો... જગ્યા એ જગ્યા એ બેરીકેટ.. કેમેરા.. બંદૂકધારી સૈનિકો..
☘️ સામાન્ય રીતે આપણે માનવીઓ હિંસક પ્રાણીઓ માટે પણ ક્યારેય આટલી ચેકીંગ રાખતા નથી.. કે આટલી સુરક્ષા વ્યવસ્થા કરતા નથી.. પણ માણસ ના કારણે જ આપણે આટઆટલી ચેકીંગ રાખવાની ફરજ પડે છે...
☘️ તો એમ થયું કે માણસે પશુઓને હિંસક કહ્યા છે.. શુ માણસ પોતે જ પશુઓ કરતા વધુ હિંસક નથી....???
☘️ ઈશ્વર ની શ્રેષ્ઠ કારીગરી એટલે માણસ... એ માણસ ના બધા ધર્મો એને પ્રેમ કરતા શીખવે છે.. અરે શીખવે શુ.. એ માણસ નો જન્મ જ પ્રેમ ના આવિર્ભાવ થી થાય છે... શું આપણી આસપાસ ની આ બધી બાબતો માણસ ની માણસાઈ ને અધોગતિ તરફ નથી ખેંચી જતી??
☘️હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે જેટલા સિંહ અને વાઘ ના કારણે માણસો ના મૃત્યુ નથી થતા... એનાથી વધુ મૃત્યુ તો મચ્છર ના કારણે થાય છે... એમ જ.. એની કરતા પણ વધુ માણસો ના મૃત્યુ માણસ ના કાર્યો થી થાય છે... તો શુ આપણે માણસ ની જાત ને હિંસક પશુઓમાં ન મૂકી શકીયે?? ચોકસ મૂકી જ શકાય...
☘️ ના... આમ તો એવું કરવાથી હિંસક પશુઓ પણ કદાચ ધરણા પર બેસી જાય કે ભાઈ અમે તમારી જેવા તો નથી જ.. અને વાંદરા તો ખાસ.. કારણ કે એને જો બોલવાની શક્તિ આપવામાં આવી હોત તો વાંદરા પણ એમ જ કહેત.. કે ભાઈ... માણસ ના પૂર્વજો વાનરો હતા એટલે કે તમે અમારી નાત માંથી ઉતરી આવ્યા છો.. એવું હોઇ જ ન શકે.. અમે તમારા પૂર્વજો હોઈ જ ન શકીએ...
☘️ મને તો એવું થાય છે કે ભલે સરકાર, નાના બાળકોની દેશી હિસાબ માં હિંસક તરીકે પશુ ને જ દેખાડે.. કે આ વાઘ.. સિંહ.. દીપડો.. આ બધા હિંસક છે.. પણ માણસ ની હિંસકતા જે દરરોજ સમાચારપાત્રો દ્વારા પ્રકાશિત થાય છે એ જણાવવી વધુ જરૂરી થઈ પડી છે... એટલે કે આપણી આવતી પેઢી ને એ હિંસક પશુની ચેતવણી આપવા કરતા... માણસ ની હિંસકતા ના દર્શન વધુ આવશ્યક હોય એવું લાગે છે...
☘️ આ લેખ માં કહેવાનો તાત્પર્ય એવો છે કે માણસ પશુ ને હિંસક પશુ કહે છે પણ એ જ માણસ પોતાની હિંસકતા ને નજરઅંદાઝ કરે છે.. કે એ કેટલો ક્રૂર અને હિંસક થયો છે...
☘️ લેખ વાંચવા બદલ આપ સૌનો આભારી છું મિત્રો...
☘️ મારો હેતુ કોઈ વ્યક્તિ, જ્ઞાતિ કે કોઈ ચોક્કસ ધર્મ ને ઠેસ પહોંચાડવાનો સહેજ પણ નથી. મારા વ્યક્તિગત વિચારો છે.. કોઈ અસહમત પણ હોઈ શકે.. ☘️
પીયૂષકુમાર "પીયૂ"
29.12.2019