છે એક રંગ આભનો, તો એક રંગ ધરાનો,
કેમ ન કહું કે છે એક રંગ આપણા મનનો!
છે એક છાંયો વૃક્ષનો, તો એક છાંયો જીવનનો,
કેમ ન કહું કે છે એક છાંયો આપણા કરમનો!
છે એક વહેણ નીરનું, તો એક વહેણ સમયનું,
કેમ ન કહું કે છે એક વહેણ આપણા સ્નેહનું!
છે એક સુગંધ ફૂલની, તો એક સુગંધ શ્વાસની,
કેમ ન કહું કે છે એક સુગંધ આપણા વિશ્વાસની!
છે એક ધબકાર સંગીતનો, તો એક ધબકાર પ્રેમનો,
કેમ ન કહું કે છે એક ધબકાર આપણા હૈયાનો!
છે એક સૂર પવનનો, તો એક સૂર પ્રકૃતિનો,
કેમ ન કહું કે છે એક સૂર આપણા અંતરનો!
છે એક તેજ સૂરજનો, તો એક તેજ આત્માનો,
કેમ ન કહું કે છે એક તેજ આપણા સત્યનો!
છે એક રૂપ સૃષ્ટિનું, તો એક રૂપ માનવનુ,
કેમ ન કહું કે છે એક રૂપ આપણા ઈશ્વરનું!
મનોજ નાવડીયા
#poem #poetry #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #kavita #prakruti #god