તું ખૂબ સૂરત છે,છતાં લોકો ઘનશ્યામ કહે છે.
તું રાધા રાણીનો ભરથાર છતાં આઠ પટરાણી છે.
તું જન્મ્યો મથરા,ગોકુળ તારુ ગમતું ગામડું છે.
વૃંદાવન રાસ રચ્યો,દ્વારિકા ભર્યો દરબાર છે.
એ કહે શેઠ શામળિયા:ડાકોર કેમ છુપાયો છે?
દક્ષિણમાં જગન્નાથ કહેવાણો શ્રીનાથમાં શ્રીનાથ!!
હરિદ્વારમાં હરિ કહેવાણો,રણુજે રામાપીર!!
હસ્તિનાપુરની રાજાશાહી ના ભોગવી,કુરુક્ષેત્રે બન્યો સારથી.!
આવો રંગીલો રસભીનો મારો રણછોડ કહેવાણો.
પંઢરપુરમાં પાંડુરંગ કહેવાયો,જૂનાગઢે શેઠ શામળદાસ ગવાણો.
- વાત્સલ્ય