💙
આમ જોવા જઈએ તો,જ્યારે ઘરમાં વ્યક્તિ એકલી હોય ત્યારે મન પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડે છે,કારણો ઘણાં છે માનસિકતા બગડી જવાના.
વ્યક્તિ એકલી રહેતી હોય એટલે એને પૂરેપૂરું એકાંત મળે જ,એ વાત ખોટી છે.
વ્યક્તિ એકલી હોય છે ત્યારે માત્ર એની સાથે એકલતા હોય છે.
પણ જ્યારે એ એકલી રહીને પણ કુદરત ને સાથે રાખીને પોતાનું મનગમતું કાર્ય કરે છે. ફરવાનું,ગાવાનું,ચિત્રો દોરવાનું, આવા અનેક કાર્ય છે અને એ કાર્ય થી આર્થિક ઉપાર્જન તો નથી થતું પણ માનસિક સ્થિતિ ખૂબ જ સુંદર બને છે અને વ્યક્તિના મન ની સ્થિતિ ડામાડોળ નથી થતી. અને વ્યક્તિ ને પોતાના એકલા હોવાનો આભાસ પણ થતો નથી અને એના મનગમતા કાર્ય સાથે એને એકાંત મળી રહે છે.
એકાંત વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે.જ્યારે એકલતા માં વ્યક્તિ માનસિક ખોખલી થઈ જાય છે.
એકલા હોઈએ ત્યારે મન પર વિચારો નું શાસન ચાલવા દેવું એટલે એકલતા નો અનુભવ થાય છે. અને જ્યારે મન પર વ્યક્તિ નું નિયંત્રણ હોવું એટલે એકાંત નો અનુભવ .....
જ્યારે પણ એવું લાગે કે એકલતા હાવી થાય છે,ત્યારે એકાંત ને શોધવા પ્રયત્ન કરવો જોઈએ.
ચોક્કસથી કુદરત મળી રહેશે.
બીજા કોઈ શોખ હોય કે ના હોય, પણ જો જીવવાનો શોખ પાળી લીધો તો, એમા બધા જ શોખ વિલીન થઇ જશે.💙
-@nugami.
.