જીવનમાં એવો પડાવ પણ આવે છે, કે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે,આપણે આપણી સાથે લડાઈ લડવી પડે છે, અને ત્યારે આ રીતે ભાન થાય છે , કે ખરેખરમાં કોણ જાણે આ કુટુંબ, પરિવાર, સબન્ધો, એ આપણુ વળગણ, થી વધારે કઈ નથી, જીવનમાં દરેકને પોતાની આગવી સમજણ અને અગત્યતાઓ હોય છેઃ અને તે સમયે સમયે બદલાય છે..આપણે જ જીવન અંગેની સમજણ ને વધુ તેજ બનાવીએ ...આપણી ઈચ્છાઓને સીમિત અને મર્યાદિત કરીએ...આ મમતા, પ્રેમ,લાગણીઓને સમજીએ, અને વિવેક અને તટસ્થતાથી તેને મુલવીએ..રાગ દ્વેષ ને ઓછા કરીએ..અહંકાર નો ઘટાડો કરી, આપણા અહમ ને ઓગાળવામાં સમય આપીએ, દુનિયા અને પ્રકૃતિ ને પોતાના અફર કાયદાઓ છેઃ તે મુજબ ચાલવાનાં..તેથી આપણી ભાવનાઓ, અપેક્ષાઓ, સીમિત કરી, જે આયુષ્ય મળ્યું છે તને શાંતિથી ભોગવવીએ..
સાદું, સરળ, અને અર્થપૂર્ણ જીવન જીવવાની કળા શીખીએ.. કોઈ ને સહેજે પણ અડચણ આપીએ નહીં .... આપણી શક્તિ મુજબ મદદરૂપ થઈએ...અસ્તુ...