📜 *આજે ઠાકોરજી સાથે એક આંતરિક સંવાદ* 📜
મે આજે સવાર એક પ્રશ્ન પૂછ્યો ઠાકોરજીને...
*"હે પ્રભુ, તમે ઘડપણ કેમ બનાવ્યું?*
*જો આપે ઈચ્છ્યું હોત, તો માણસને યુવાન જ રાખી શકતાં. આપ તો સર્વશક્તિમાન છો, પછી આ દુર્બળતાનું દાન કેમ આપ્યું?"*
*ઠાકોરજી હળવુ મીઠું સ્મિત કરી બોલ્યા:*
*"સાંભળ ભગત... તું માને છે ને કે આ સૃષ્ટિ મોહમય છે?*
*મારા રચેેલા રમણિય જગતમાં જે મોહ છે, એ તૂટે નહીં તો આત્મા મુક્ત થાય નહીં..."*
*અને પછી તેઓ એ મને સમજાવ્યું...*
*"ઘડપણમાં હું આંખોની રોશની ઓછી કરી દઉં છું,*
*જેથી તને દેખાતા આ રંગીન વિશ્વનો મોહ ધીમે ધીમે છૂટે...*
*તારા ચહેરા પર કરચલીઓ નાખું છું,*
*જેથી તું સુંદરતા પાછળ દોડવાનું છોડી દે.....*
*પગમાં થાક ભરું છું,*
*જેથી, તું જગત ફેરી છોડી અહંમ મુક્તિ તરફ વળે....*
*કાન ધીરે ધીરે સાંભળવાનું ઓછું કરે જેથી, તું બહારનો નહીં પણ અંદરનો અવાજ સાંભળવા લાગે.....*
*"હા ભગત, ઘડપણ એ મોહ તોડવાનો માર્ગ છે...*
*જેમ વૃક્ષ પાંદડાં છોડે ને શાંત થાય, તેમ આત્મા શરીરનો મોહ ત્યાગે."*
*અને તું જ વિચાર—*
*જો ઘડપણ ન આવે, તો શું કોઈ મરવું પસંદ કરશે?*
*યૌવનમાં મૃત્યુ આવે તો આખું કુટુંંબ વર્ષો સુધી વિલાપ કરે,*
*પણ ઘડપણ પછીનું મૃત્યુ સૌ સહજતાથી સ્વીકારી લે છે...*
*ઘણી વાર તો બાર દિવસ પછી બધું પાછું ઍકસર થઇ જાય છે...*
*"આથી ઘડપણ એ તારા મુક્તિ માટે મારી કૃપા છે..."*
*હું ભાવવિહ્વલ થઈને બોલી પડ્યો:*
*"હે પ્રભુ, હવે તો આપની લીલા મારી સમજમાં આવી ગઈ..."*
*પણ એક પ્રશ્ન હજી રહ્યો…*
*"જ્યારે તમે મોહ તોડવા ઘડપણ બનાવ્યું, તો પછી આ મમતામય પરિવાર કેમ બનાવ્યો?"*
*આ વખતે ઠાકોરજી મૌન થઇ ગયા...*
*કારણ કે કેટલીક લીલાઓ શબ્દોથી સમજાતી નથી, એ તો માત્ર આત્મ અનુભવથી જ સમજાય છે…*
*ઠાકોરજી સાથેનો મારો આ સંવાદ માત્ર નથી પણ આપણા સર્વે ના જીવનની સચ્ચાઈ છે.*
*🌹સૌનું મંગળ થાવ, સર્વેને🌹
🙏 જય શ્રી કૃષ્ણ 🙏*