Gujarati Quote in Whatsapp-Status by Parag gandhi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

📜 *આજે ઠાકોરજી સાથે એક આંતરિક સંવાદ* 📜

મે આજે સવાર એક પ્રશ્ન પૂછ્યો ઠાકોરજીને...

*"હે પ્રભુ, તમે ઘડપણ કેમ બનાવ્યું?*
*જો આપે ઈચ્છ્યું હોત, તો માણસને યુવાન જ રાખી શકતાં. આપ તો સર્વશક્તિમાન છો, પછી આ દુર્બળતાનું દાન કેમ આપ્યું?"*

*ઠાકોરજી હળવુ મીઠું સ્મિત કરી બોલ્યા:*

*"સાંભળ ભગત... તું માને છે ને કે આ સૃષ્ટિ મોહમય છે?*
*મારા રચેેલા રમણિય જગતમાં જે મોહ છે, એ તૂટે નહીં તો આત્મા મુક્ત થાય નહીં..."*

*અને પછી તેઓ એ મને સમજાવ્યું...*

*"ઘડપણમાં હું આંખોની રોશની ઓછી કરી દઉં છું,*
*જેથી તને દેખાતા આ રંગીન વિશ્વનો મોહ ધીમે ધીમે છૂટે...*

*તારા ચહેરા પર કરચલીઓ નાખું છું,*
*જેથી તું સુંદરતા પાછળ દોડવાનું છોડી દે.....*

*પગમાં થાક ભરું છું,*
*જેથી, તું જગત ફેરી છોડી અહંમ મુક્તિ તરફ વળે....*

*કાન ધીરે ધીરે સાંભળવાનું ઓછું કરે જેથી, તું બહારનો નહીં પણ અંદરનો અવાજ સાંભળવા લાગે.....*

*"હા ભગત, ઘડપણ એ મોહ તોડવાનો માર્ગ છે...*
*જેમ વૃક્ષ પાંદડાં છોડે ને શાંત થાય, તેમ આત્મા શરીરનો મોહ ત્યાગે."*

*અને તું જ વિચાર—*
*જો ઘડપણ ન આવે, તો શું કોઈ મરવું પસંદ કરશે?*

*યૌવનમાં મૃત્યુ આવે તો આખું કુટુંંબ વર્ષો સુધી વિલાપ કરે,*
*પણ ઘડપણ પછીનું મૃત્યુ સૌ સહજતાથી સ્વીકારી લે છે...*
*ઘણી વાર તો બાર દિવસ પછી બધું પાછું ઍકસર થઇ જાય છે...*

*"આથી ઘડપણ એ તારા મુક્તિ માટે મારી કૃપા છે..."*

*હું ભાવવિહ્વલ થઈને બોલી પડ્યો:*
*"હે પ્રભુ, હવે તો આપની લીલા મારી સમજમાં આવી ગઈ..."*

*પણ એક પ્રશ્ન હજી રહ્યો…*
*"જ્યારે તમે મોહ તોડવા ઘડપણ બનાવ્યું, તો પછી આ મમતામય પરિવાર કેમ બનાવ્યો?"*

*આ વખતે ઠાકોરજી મૌન થઇ ગયા...*
*કારણ કે કેટલીક લીલાઓ શબ્દોથી સમજાતી નથી, એ તો માત્ર આત્મ અનુભવથી જ સમજાય છે…*

*ઠાકોરજી સાથેનો મારો આ સંવાદ માત્ર નથી પણ આપણા સર્વે ના જીવનની સચ્ચાઈ છે.*

*🌹સૌનું મંગળ થાવ, સર્વેને🌹
🙏 જય શ્રી કૃષ્ણ 🙏*

Gujarati Whatsapp-Status by Parag gandhi : 111988207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now