અંગ્રેજોની લૂંટ 🇬🇧.
ટાંકવામાં આવતા ફિગર પ્રમાણે અંગ્રેજ શાસકોએ ભારત પર તેમની ૧૯૦ વર્ષ લાંબી હકૂમત દરમ્યાન ૪૫,૦૦૦ અબજ પાઉન્ડ જેટલી આપણી સંપત્તિ પોતાના દેશભેગી કરી દીધી. આંકડામાં ફરક ઓગણીસ-વીસ જેટલો કે પછી વધારે શાસકોએ પણ હોય, પણ એટલું સાચું કે મધદરિયે અંગ્રેજ ચાંચિયાઓએ તે દલ્લામાં લૂંટેલા ખજાનાનો તેમાં સમાવેશ
થતો નથી. સૌથી મોટો ખજાનો ગંજ-ઇ-સવાઇ વહાણનો હતો.
સપ્ટેમ્બર, ૧૬૯૫માં યમનથી સુરતઆવી રહેલા ૧,૫૦૦ ટન
વજનના અને ૪૦ તોપો ધરાવતા એ વહાણને હન્ની એવરી
નામના ચાંચિયાએ એડનના અખાતમાં આંતર્યું. સામસામી
ગોલંદાજી ત્રણ કલાક ચાલી. એવરીના છાપામાર કાફલામાં
૧૫ સશસ્ત્ર વહાણો હતાં. છેવટે ગંજ-ઇ-સવાઇને તેણે કબજે લીધું. આજના ભાવે ૧૨ કરોડ ડૉલરનાં ગણાય એટલાં સોનું-ઝવેરાત લૂંટી લીધાં.
https://www.facebook.com/share/p/15oQWnqKbu/