ચાલ, શબ્દોને હવે સજાવવા દે.
અંતરનું બહાર સઘળું આવવા દે.
રાખ્યું કેટકેટલું સાચવી ઉરના ખૂણે,
ઓષ્ઠોથી એ સઘળું હવે વદવા દે.
સ્થિર તો જળ પણ બગડી જાય,
લાગણી મૂક છૂટીને એને વહેવા દે.
ના કર પરવા કે કોણ શું વિચારશે?
શબ્દસંગાથે મનને તું હળવું થવા દે.
કેવળ લોકમત પર જીવન ન જીવાય,
દિલદાસ્તાના કાં તું કહે કાં કહેવા દે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.