જ્ઞાન એ શું કામનું જેમાં સહજતા હોય નહિ.
છીછરું હો જ્યાં બધું એમાં ગહનતા હોય નહિ.
છે ઘણાં મોટા ભલેને ઉંમરથી હો થઈ ગયા,
તે છતાં એની સમજમાં તો સરલતા હોય નહિ.
પામવા સિધ્ધિ ભરો આકરા કદમ બે ચાર બસ,
ના મળે મંજિલ કદમમાં જો અડગતા હોય નહિ.
રાચતાં હો રાત દિ જે કેવલ ભ્રમણાં ભીતરે,
છે નકામું જે સમજમાં વાસ્તવિકતા હોય નહિ.
સ્નેહમાં તો હોય છે બસ સ્નેહ ને સંવેદના,
વ્હાલની તો વાટ પર કોઈ વિષમતા હોય નહિ.
નિધિ મહેતા 'ખુશી'
અમદાવાદ