......કડવું, પણ સત્ય
સત્ય છે કે, જેમને જેટલી જરૂરત છે;
ફક્ત એટલી જ તમારી અહમીયત છે;
આપવું તો છે ઘણું તમને ઈશ્વરે, પણ!
સત્ય છે કે, મળે એટલું જેવી નિયત છે;
તાપમાન આબોહવાનું થઈ જશે ઓછું,
બસ, ઈર્ષામાં ન બળવાની જ શરત છે;
કહ્યું એમણે કે, હવે ભૂલી જજે તું મને!
છતાંય સ્મરણ એમનું જ રહે સતત છે;
વિતેલા દિવસોને ભૂલવામાં સમજદારી,
આમે ખુશીઓની જીવનમાં અછત છે;
ખાલી હાથે આવ્યા, ખાલી હાથ જાશું!
"વ્યોમ" કર્મ જીવનની અસલ બચત છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર