દર્દની પણ દુર્દશા થાશે, તું ખાલી કર્મ કર
બહાર જોવાનું બંધ કરી તું તારો ધર્મ ધર
શક ના કરીશ આમ કેમ તેમ કેમ વિચારી
લખ્યું લલાટે થશે તું કર્મ કર એમ વિચારી
લાખો લોકોની આશા છે તુજ પર જો જરા
તું અમર થશે રાખ આશા જાત પર જરા
દર્દની પણ દુર્દશા થાશે,તું ખાલી કર્મ કર!
મેહુલ એમ સોની "શોર્યમ"