*પ્રતિયોગિતા ક્રમાંક:* ૪૧
*નામ / ઉપનામ:*નારાણજી જાડેજા "નર"
*ગામ:* ગઢશીશા હાલ મુન્દ્રા
*વિષય:* વાવાઝોડું
*શીર્ષક:* *વિશ્વાસ*
શાંત સમુંદરમા વધ્યાં તાપ
જલ ગરમ થઈ મુકે બાફ
વાદળો સહુ એક ભેગા થયા
આકાશે જઈને રચ્યો રાસ.
ધીમે ગતિએ આગળ વધતો
ધર્મના ધામ ધામ એ ફરતો
કાંઠા વિસ્તાર બધા ખાલી કર્યા
લોકો કહે આ કેવો આપ્યો ત્રાસ.
સમાચાર વાળાને થઈ હરીફાઈ
દોરી વડે માપે હવે કેટલી દુરી રહી
માનવને તો આસરો મળી જાશે
નોંધારા પશુ ને હરિ તારી જ આશ.
દેવાવાળો આ જગતમાં તુંજ બધું
કહે નર તુંજમા રાખી બેઠાં વિશ્વાસ
ભલે ગમે તેવા હોય અમરા નિવાસ
જે આપે અમને તારા જ છે સ્વાસ.
*✍️નામ:*નારાણજી જાડેજા
*આ રચના મારી મૌલિક અને અપ્રકાશિત છે, જેની હું ખાત્રી આપું છું.*