ગમતાં નો ગુલાલ.
સારું વાંચ્યું તે વહેંચ્યું. લેખકના નામ વગરની એક પોસ્ટ વાંચી તે લેખકના આભાર સહ રી પોસ્ટ કરું છું.
*શ્રદ્ધા*
બેટા, આજે અમે શ્રીનાથજી જઇયે છીયે..
તારે આવવું છે ? મેં મારી દિકરીઓ ને કીધું....
દિકરીઓ બોલી... ભગવાન તો સર્વત્ર છે... તો મંદિરે જવું જરૂરી છે ?
હું દિકરીઓ ની બાજુ માં બેસી ગયો અને કહ્યું...
બેટા તારી કાર ના ટાયર માં હવા ઓછી થઈ ગઈ હોય......... તો તું ભરાવવા ક્યાં જાય છે ?
હવા ભરાવવાની દુકાને.. દિકરીઓ બોલી.
કેમ હવા તો સર્વત્ર છે.. છતાં દુકાને જ કેમ ?
દિકરીઓ મારી સામે જોઈ રહી.......
મને લાગે છે, તમને તમારા સવાલ નો જવાબ મળી ગયો લાગે છે.
બેટા... ટાયર માં હવા ઓછી થાય ત્યારે હવા ભરવાની દુકાને જવું પડે... એવી જ રીતે
દરેક વ્યક્તિ માં સમયે સમયે જરૂર કરતાં વધારે હવા ભરાઈ જતી હોય છે.. ત્યારે તે હવા માં ઉડવા લાગે છે... આ હવા એટલે ઘમંડ.. આ ઘમંડ રૂપી હવા ને વખતો વખત ઓછી કરવા મંદિરે જવું પડે.....
હવા નું યોગ્ય લેવલ નહિ સાચવો તો ટ્યૂબ કે ટાયર ફાટવા ની પુરી શક્યતા છે...એવીજ રીતે દરેક વ્યક્તિઓ *અસંખ્ય દુર્ગુણો થી ભરેલ હોય છે.. આ દુર્ગુણો રૂપી હવા કાઢવા અથવા નિયંત્રિત કરવા વખતો વખત મંદિરે જવું ખૂબ જરૂરી છે.......*