વિષય - આત્મચિંતન,
કવિતા:- 'અવસર આ અનમોલ'
કુદરતે આપ્યો અવસર,આ અનમોલ ,
નહિ વેડફવાને ,
જીવન સોનેરી જીવવાને,
જિંદગીના દરેક પૃષ્ઠ વાંચવા ને,
આત્મચિંતન કર.
જન્મ મરણ છે કુદરતના હાથમાં ,
કર્મનો માલિક મનુષ્ય સ્વયં,
પોતાના ભાગ્યનો સૂર્યોદય કરવા
જીવનમાં પ્રકાશ પાથરવાને,
આત્મ ચિંતન કર.
જીવનનાં આ મહાસાગરમાં
વમળો આવશે ઘણાં તેથી શું?
હિંમતના હલેસાં મારવાં ને
જીવન નૈયા પાર ઊતારવા ને
આત્મચિંતન કર.
સુખ- દુઃખ, તડકો- છાંયો
જીવનમાં આવે અને ચાલી જાય
ઋતુઓની આવન જાવન છે
કુદરતની કમાલ,
પુણ્ય કર્મથી થવાય માલામાલ,
આત્મચિંતન કર.
ખાલી હાથ આવ્યા ખાલી હાથ જવાના,
જીવનના સંકલ્પો સઘળાં પૂર્ણ નહીં થવાનાં ,
પરમેશ્વરને પામવાની ઘડી છે અનમોલ,
જીવનના પુણ્ય પાપને
કર્મનાં ત્રાજવે તોલ,
મનનો મેલ ધોલ,
સત્ય વચન તું બોલ,
આત્મચિંતન કર.
✍️...© drdhbhatt...
સ્વરચિત ડો. દમયંતી ભટ્ટ
(18/01/2023)