બુદ્ધ સવારે એક ગામમાં થી પસાર થતા હતા. તેમને એક માણસ મળ્યો અને પૂછ્યું કે શું ભગવાન ખરેખર છે ? .
બુદ્ધ બોલ્યા : ભગવાન ? નહીં નહીં એના જેવું કંઈ જ નથી.
ત્યારબાદ બપોરે બીજા માણસે પુછ્યુ કે મને એવું નથી લાગતું કે ભગવાન છે તો તમારું શું કહેવું છે આ અંગે.
બુદ્ધ બોલ્યા : એવી શું પાગલ જેવી વાત કરે છે અહીં બધે બસ ભગવાન છે.
ત્યારબાદ રાતના સમયે એકે પુછ્યુ કે મને કંઈ ખ્યાલ નથી કે ભગવાન છે કે નહીં . તમે આ બાબતે કંઈક કહો.
બુદ્ધ બોલ્યા : જો તને પણ જાણ નથી તો મને પણ કંઈ ખબર નથી.
આ બધી વાતો તેની સાથે રેહતા આનંદ ભિક્ષુ એ સામ્ભળી તો તરત જ તેમણે બુદ્ધ ને પુછ્યુ આ બધું શું છે કે તમારા બધા જવાબ આટલા અસંગત કેમ હતા હું તો ઘણો મુશ્કેલી માં મુકાઇ ગયો છું.
બુદ્ધ બોલ્યા આનંદ આ બધા જવાબો તારા માટે નહોતા તારે એ સામ્ભળવા નહોતા.મે એ જવાબ તે એ માણસને દિધા હતા તને નહીં.
પેલા નંબર નો માણસ તો પેલાથી માનતો હતો એ ફક્ત મારી પાસે પોતાની દલીલો મજબૂત કરવા આવ્યો હતો અને જો હું હા કહું તો એમની શોધ ત્યારે જ પુરી થઈ જાત.
બીજો માણસ નકારાત્મક હતો જો એમને હા કહેત તો એ પણ ત્યાં જ રોકાઈ જાત.
ત્રીજો માણસ એક સાચો જીજ્ઞાસુ હતો તેમને મેં તેમની યાત્રા કહી આપી.