પ્રેમનું અવિરત ઝરણું નિરાકાર છે.પ્રેમ ઈશ્ર્વર નું વરદાન છે.પ્રેમ બે પવિત આત્માનું મિલન છે.
પ્રેમ અહેસાસ સાથે જોડાયેલો છે.પ્રેમથી એકબીજા ના મન વાંચી શકાય છે.પ્રેમમાં બલિદાનની ભાવના હોય છે.
પ્રેમમાં ક્યારેય જબરજસ્તી ના હોય.પ્રેમમાં હુકુમત ના હોય.પ્રેમમાં ક્યારેય જબરજસ્તી થી દિલમાં જગ્યા મેળવી શકાય નહિ.
પ્રેમીઓ માટે પ્રેમ એટલે શ્વાસનું બીજું રૂપ.એકબીજા સાથે એકાકાર બનવું.અને જો એમાં જબરજસ્તી આવે તો પ્રેમ બંશન બની જાય.
પ્રેમમાં વિશ્વાસ હોય,એકબીજા માટે કંઇક કરવાની ભાવના હોય,એકબીજાના દુખે દુખી,અને એકબીજાના સુખે સુખી હોવાનો અહેસાસ હોય.અને એમાં જબરજસ્તી આવે ત્યારે પ્રેમ નફરતમાં ફેરવાઈ જાય છે.
-Bhanuben Prajapati