મૃત્યુ એટલે શરીરનું ખરી પડવું, નહિ કે વ્યક્તિગત અસ્તિત્વનું ભૂંસાઈ જવું. માણસ બીજા દેશમાં જાય અને તે દેશની આબોહવાને અનુરૂપ પોતાનાં કપડાં બદલી નાખે, એથી તે મૃત્યુ પામતો નથી. આધ્યાત્મિક સાધક માટે મૃત્યુ એ ફકત એક જીવનમાંથી બીજા જીવનમાં પસાર થવાનો માર્ગ છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામતી નથી પરંતુ વિદાય લે છે.