મૃત્યુ તો ઈશ્વર તરફથી મળેલું વરદાન છે.
મૃત્યુમાં જે દુ:ખ માનવામાં આવે છે તે વાસ્તવમાં જીવનનું દુ:ખ છે. રોગાદિથી થતું દુ:ખ એ મૃત્યુનું ફળ નથી, જીવનના અસંયમનું ફળ છે. મૃત્યુ તો આપણને તેમાંથી છોડાવે છે. એ પીડાની સાથે મૃત્યુને કંઈ લેવાદેવા નથી. એ તો મૃત્યુને માથે ચડાવેલું નાહકનું આળ છે.
મૃત્યુનાં કુલ ચાર દુ:ખ છે : શરીર-વેદનાત્મક, પાપ-સ્મરણાત્મક, સુહૃન્મોહાત્મક અને ભાવચિંતનાત્મક. એના ઉપાય ક્રમાનુસાર આ પ્રમાણે છે : નિત્યસંયમ, ધર્માચરણ, નિષ્કામતા અને ઈશ્વરમાં શ્રદ્ધા.