સારા વિચારોનાં બંધનમાં રહું હું,
પણ બીજાને બંધનમાં ના રાખું હું,
પક્ષી કહે આ પિંજર મને નડે,
મુક્ત કરો તો વિશાળ ગગનમાં ઉડી લવ,
માછલી કહે આ માછલીઘર મને નડે,
મુક્ત કરો તો વિશાળ દરિયામાં તરી લવ,
પશુ-પ્રાણી કહે આ ઉદ્યાન મને નડે,
મુક્ત કરો તો વિશાળ ધરા પર વિચરી લવ,
મનુષ્ય કહે આ માયા મને નડે,
મુક્ત થાવ તો વિશાળ જીવન જીવી લવ,
સારા વિચારોનાં બંધનમાં રહું હું,
પણ બીજાને બંધનમાં ના રાખું હું..
મનોજ નાવડીયા