અંતરના રાવણને તમે બાળો તો ખરા !
અંદરના રાવણને તમે બાળો તો ખરા !
ધર્મનો મુખોટોને ઉરમાં વિષયને વિકાર,
એને મનોબળ ધરી પ્રજાળો તો ખરા !
સહેલું છે દશેરાએ રાવણ બાળવાનું,
આચરણમાં કદી રામ ભાળો તો ખરા.
અહંકાર દશાનનનો આભને આંબતો,
નિજ અહંને પ્રજ્ઞાબળે ટાળો તો ખરા !
વેરઝેર પારસ્પરિક શાંતિને હણનારાંને,
એને સ્નેહ સરિતામાં ઓગાળો તો ખરા !
છે રાવણ ચારેકોર તો રામ પણ હશે જ,
કદી હૃદયમાંહે ભાવથકી ભાળો તો ખરા !
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.