*કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન. ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.*
*🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.*
*🙏૨ - પહેલાંના લોકો લોટ જેવા હતા, લાગણીનુ પાણી નાંખીએ તો ભેગા થઈને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણીનુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.*
*🙏૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,*
*🙏બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકે એજ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.*
*🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.*
*🙏૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયત માં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.*
*🙏૬ - તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.*
*🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે. અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.*
*🙏૮ - જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી, અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.*
*🙏૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.*
*🙏૧૦ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.*
*🙏૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધીજ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.*
❤️ આપને ઉચિત જણાય તો અન્યોને પણ મોકલી દેજો