ગઝલ
************
એક પંખી રોજ ડાળે કેમ કચવાતું હશે?
એ નિકંદન વૃક્ષોનું જોઇ હિજરાતું હશે!
આ સરોવરમાં ન હોય કદી ઉછાળાં આટલાં,
ગંદકી ઠલવાય છે આ એમ મુંઝાતું હશે?
આ અતિથિ ત્યાં એટલે ઠલવાતાં ભલા,
આંગણું આખું પુષ્પોની જેમ મલકાતું હશે!
પર્ણ ફૂટે ને ખરે,કૂદરતની આ રીતથી;
જંગલોનું જીવવાનું આમ જળવાતું હશે!
આયખું જેનું દ્રવ્યું હો,જોઇ દુઃખ ગરીબના;
મરણ એનું ધૂપ મ્હેંકે એમ મ્હેંકાતું હશે!
@ નટવર ટાંક