ભાષા-સાહિત્યના વિરામચનિહોનું જીવનદર્શન
સમગ્ર રીતે જોઇએ તો ભાષા-સાહિત્યમાં પ્રયોજાતાં આ વિરામચિન્હો કેવળ સ્થૂલ, બાહ્ય સાંકેતિક ચિન્હો જ નથી, માનવને ઢંઢોળી જીવનસંગ્રામ માટે સજ્જ-સક્રિય થવા માટેની દિશાદર્શક દિવાદાંડી પણ છે.શાસ્ત્રો-સંતો-વિચારકો દીર્ઘ વિચારણા દ્વારા માનવીને જીવનસંબોધે છે. જ્યારે નાનકડાં આ વિરામચિન્હો લાઘવ રૂપમાં સાંકેતિક રીતે જીવન વિશેનું દર્શન આપે છે. તેથી ભાષા-સાહિત્યમા તેમજ માનવજીવનમાં તેની ઉપેક્ષા ન કરીએ, પરન્તુ તેનો સમુચિત ઉપયોગ કરી જીવનને અર્થપૂર્ણ-ભાવપૂર્ણ બનાવીએ.માનવ-જીવનમાં ફ્રેન્ડ,ફીલોસોફર અને ગાઇડની મહત્વની ભૂમિકા દાખવતાં, આ વિરામચિન્હો ભાષા-સાહિત્યની સાથે સમસ્ત માનવજીવનની મોંઘી મિરાત છે.
ને અંતે....
‘કેવી લખી આ જિંદગી, મુંજની વ્યાકરણ વગર,
ચિન્હો કોઇ વિરામનાં,કદિ મને મળ્યા જ નહિ !
દોડતો રહ્યો હું બસ અવિરામ, એમ વિચારીને
બસ.આગળ તો હવે, વિરામ જ વિરામ છે ને?’
ડો. રમણભાઇ પી. પટેલ.-આણંદ
Sent from Yahoo Mail for iPhone