' જીવનસાથીની પસંદગી '
જીવનમાં આ મોડ બધાને એક ને એક વાર આવે જ છે.
થોડું કઠિન પડે જ્યારે આપણો સાથી ઇચ્છતાં હોઈએ તે ન હોય.
માતા પિતા જ્યારે આપણા માટે સાથી પસંદ કરે ત્યારે એવા પ્રશ્ન થતાં હોય છે કે તે વ્યક્તિ સાથે જીવન કાઢી શકશું કે નહીં?
જો તે વ્યક્તિને જીવનસાથીના રૂપમાં ન જોઈ શકતાં હોઈએ તો તેને ઓળખવા માટે થોડો સમય લેવો જોઈએ.
કોઈ બીજી વ્યક્તિ પસંદ હોય તો ઘરમાં બધાને જાણ કરવી.
પરંતુ જો તમે લગ્ન માટે તૈયાર જ નથી તો જોરાઈ હા ન પાડવી.
લગ્ન તો કરી લેશો પછીનું શું??
લગ્ન કરવા સહેલા છે પરંતુ તેને નિભાવવામાં પુરી જિંદગી ચાલી જાય છે.
હાલતાં ડિવોર્સ થાય છે આજે . પછી સમાજમાં ટીકાને પાત્ર બનીએ.
જો જીવનસાથી પસંદ કરવું હોય તો એવા વ્યક્તિને કરો કે તેના સાથે પુરી જિંદગી ગુજારી શકો, એ પણ આનંદથી.
આપણી આસપાસના દંપતીઓ ને જોવો લગ્ન પછી કેટલા સુખી છે ને કેટલાં મજબૂરીથી જીવે છે ને કેટલાંક ડિવોર્સ લે છે...!