જીવ જગત ને ઇશ્ર્વર તણી રે, તમે કરો ઓળખાણ રે,
ઝગડો ટળે રે મન તણો, મન મૂળે ન હોય રે..ઝગડો...
હું ને મારૂ મિથ્યા જાણજો રે, સર્વે હરિ રૂપ હોય જો,
હરી વિના બીજું કંઈ નથી, તુ મા હું ભળી જાય જો..ઝગડો.
હું તું ટળી એક થાય ત્યારે, નિર્ગુણ નિરાધાર જો,
જન્મ મરણ એને નહીં, નિજ નામનું નિશાન..ઝગડો
હુ હરી માં સમતુલ છું રે , વિશ્ર્વ વ્યાપક ગણાય જો,
જ્યારે સદગુરૂ પુરા મળે, આપે નિજ ઘરનું ભાન જો. ઝગડો
સદગુરૂ સંતોને પુછવું રે,આપે નામ ને નિશાન જો,
દાસ ભલારામ વિનવે, ગુરૂ લાલન પ્રતાપ જો..
ઝગડો ટળે રે મન તણો..
જય ગુરૂ મહારાજ
સદગુરૂ સ્મરણાર્થે