આપણે હંમેશા કહેતા હોય છીયે કે ... મારા મનમાં આવો વિચાર છે , મારુ મન અશાંત છે , મારા મન નાં તરંગો વગેરે વગેરે..
પણ આપણે એ નહીં બોલીયે કે હું વિચાર , હું અશાંત કે હું લાગણી.માટે એ તો સાબિત થઇ શકે છે કે આપણું 'હુ' અને 'મન' બંને અલગ-અલગ છે. આપણા નાનપણની વાતો ને આપણું મન આગળ જતાં એક રીતે ભંડકિયામાં છુપાવી દે છે કારણકે હિનતા અને અસુરક્ષાની ભાવના આપણને ડરાવી દેતી હોય છે માટે જ ક્યારેક સંમોહિત વ્યક્તિ ક્યારેક આ સ્ટેજ પર પહોચે તો તડપતો હોય છે.
મન ની બધી ચાલાકી , આપણા અનુભવો જ ઘડે છે પણ જ્યારે એ જ ચાલાકી આપણા હાથમાં ન રહે ત્યારે આપણે જ આપણા દુશ્મન બની જાય છીયે.
પશ્વિમ નો પહેલો વિચારક , સિગ્મંડ ફ્રોઈડ કે જેમણે મન નો અભ્યાસ કર્યો હતો તેનાં કહેવા મુજબ , આલ્ફા તરંગો , જગ્ગી વાસુદેવ ના વર્ણવેલા તરંગો વગેરે મનની વૈચારિક અવસ્થા અંગે વધુ કહે છે. પરમ સમાધીવસ્થા કે ઉંડી નિન્દ્રા માં પણ વિચાર ની કવોન્ટીટી એકદમ ઓછી હોય છે માટે જ હમણાં હમણાં ' સ્લીપ મેનેજમેન્ટ' જેવી બાલિશ પદ્ધતિ આવી છે જેમાં આપણે ખુદને સંમોહિત કરી વિચારો ને આપણી અપેક્ષાઓ મુજબ ઢાળી શકીએ છીએ.
રાતનો છેલ્લો વિચાર , આવતી સવારનો પહેલો વિચાર જ હોય છે . પણ દુર્ભાગ્યે આજના સમયમાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણો સૌથી નજીકનું સ્વજન આપણા થી દુર છે.
વેદોમાં કહ્યું છે કે , કળીયુગમાં માત્ર ભગવાન ના નામ સ્મરણથી જ મોક્ષ મળશે. કારણકે સતયુગમાં ભગવાન હાથવેંતમાં જ હતાં , માટે તેમને અલગથી વ્યવસ્થા કરવામાં આવતી . આ જ હાલત દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં પણ આવી , કર્મ અને ક્રીયા બેય એકબીજાથી નોખાં પડવા લાગ્યા. આખિરમા કળિયુગ આવતા ક્રીયા નું મહત્વ ઘટી ગયું અને વિચારો નો મારો વધી ગયો.
પુણ્યાત્માઓને આ સ્થિતિ ની પહેલાંથી જ જાણ હતી માટે જ તેઓ એ કહ્યું કે કળિયુગ માં વિચારો ની કવોન્ટિટી જેટલી ઓછી હશે તેટલાં તમે મોક્ષની પ્રાપ્તિ માટે લાયક ગણાશો.
આમતો આવી ઘણી વાતો છે મન માટે , પણ બાકીનું આજના મેનેજમેન્ટ ગુરુઓ પર છોડી દો.