*સમજ્યા નહી ગુરૂની સાનમાં તે પ્રજાપતના ઘોડા હા.. આદી રે અનાદી ગુરૂ મારા અનુભવી. આજ મારી નજરૂએ દીઠયા હા...જગતની સામુ જોતા નથી વસ્તું અનાદીની લાવ્યા હા...*
જે અનાદીની વસ્તુની જાણ કરાવેછે. *તે સતગુરૂ છે.* તેને આપણે શું સમજી શકીએ. માયાના જીવ માયામાં જ અંજાયને પડી રહે છે. એમ જીવ તે જન્મ રૂપી મરણ ફેરા ફર્યા કરે છે. તે સત રૂપી ભગવાનને ઓળખી શકે નહી. જયારે *સતગુરૂ આપણી નજીક આવે ત્યારે આપણે ફિલ્મ જોવા વયા જોઈએ* કારણ કે જે અભાગી જીવને સાચા જ્ઞાનની કંઈ પડી ન હોય. તે તો આંખોથી દેખાય તેમાંજ મોહ પામે છે. ટી વી ફિલ્મ એને બહુજ ગમે છે. *સતગુરૂ દર્શનની બહુ તાલાવેલી હોયી નથી. તે અમુલ્ય સમય ગુમાવી દે છે.* એટલો એ જીવ પાપી હોય છે. આવો મનુષ્ય જન્મ ફરી ફરી મળે નહી. ફિલ્મતો ચાલુજ છે. એક સેકંડ બંધ નથી. *આ જગત છે તે જ ફિલ્મ છે.* તેમાં ધણા જીવો જન્મે છે. જગત રૂપી પડદામાં દેખાય છે. અને ચિત્રો ભૂંસાઈ જાય છે. *એટલે કે મરી જાય છે.* તે પાછા કદી દેખાતા નથી. *ફિલ્મનો રામ આપણું કામ કરી નો આપે* તે તો ખાલી રામની મશ્કરી કરવા જ રામ હોય છે. પછી તે નટ જેવા હોય છે. પણ આંખ જોવામાં મોહ પામે છે. ને મનને દોરે છે પછી મન તેમા દોરાય જાય છે. *ભજનમાં મન દોરાતુ નથી. તેને સત્સંગ આપીને શું કામ છે.* તેને જાણવા પુરતું જ કામ હોય છે. તેને લાગણી હોતી નથી. તેથી જીવનો ઉદ્ધાર થયો નથી. *આપણે આંગણે સંતો ભાગ્યેજ પધારે છે. ત્યારે આપણે ભુલ આઈએ છીએ* એનેજ મતલબી જીવ કહેવાય
🙏🙏🌹👏👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ