મુક્તક શબ્દ मुक्त એટલે છૂટું ઉપરથી આવ્યો છે. 'કાવ્યાદર્શ'માં તેનું લક્ષણ मुक्तकं श्लोक एवैकश्चचमत्कारक्षमः सताम् | એટલે સહૃદયને ચમત્કારક લાગે એવો એક જ શ્લોક તે મુક્તક એવું આપેલું છે. ચમત્કારતા એટલે લોકોત્તરતા તો બધાં કાવ્યોમાં ઇષ્ટ છે. એટલે એક જ છૂટા શ્લોકનું કાવ્ય તે મુક્તક એવો અર્થ ફલિત થાય છે. તેની ખૂબી એ કે એક જ શ્લોકમાં તે કાવ્યનો આસ્વાદ કરાવી શકે છે.
'આલોચના'
-રામનારાયણ વિશ્વનાથ પાઠક