હીરસાગરબાપા ની વાણી
🍀🔥🍀🔥🍀🔥
આ કહે હીરસાગર સુણો હરિજનો ,નામ નિરંજન હૈ ન્યારા
જે નામે આ સૃષ્ટી રચાણી રચાયા સર્વે બ્રહમાંડા ........
કહે હીરસાગર સુણો હરિજનો
દેવી દેવતા એ નામ થકી છે નામ થકી શાસ્ત્ર પુરાણા
નામ થકી ચંદ્ર ને સુરજ નામ થી દસ અવતાર ........
કહે હીરસાગર સુણો હરિજનો
નામ થકી અનેક સંતો।,ગ્રહી નામ આધારા
પીર પયગમ્બરો તીર્થકરો ,નામ ક સોઈ વિસ્તારા ........
કહે હીરસાગર સુણો હરિજનો
નામ રૂપ ગુણ થી આગે પોતે ,સતનામ કિયા વિચારા
જે નામ અનામી પાયા ઘટ મેં નિરંતર હૈ નિરાધારા ........
કહે હીરસાગર સુણો હરિજનો
નામ પાયા સતગુરુ ચરણ સે હુવા જીવ નીસ્તારા
હીરસાગર હરી પ્રગટ દેખ્યા ,સદગુરુદેવ દીદારા ........
કહે હીરસાગર સુણો હરિજનો,
🌷🌷🌷🌷🌷🌷
સંતોના ચરણોમાં વંદન 🙏🙏👣👣🙏🙏
હીરસાગરબાપા કી જય
🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️