"લખવા ને ગઝલ"
લખવા ને ગઝલ, ઝાકળ ને પુછવુ પડે,
લખતા પહેલા, કાગળ ને પુછવુ પડે.
સાગર, નદી અને ઝરણાં ને પુછવુ પડે,
જરૂરી છે? તો મૃગજળ ને પુછવુ પડે.
ભલે ને હોય સુંદરતા ખીલેલા ગુલાબ માં,
ગઝલ લખવા કુંપળ ને પુછવુ પડે.
આંખ પર લખવી હોય જો તમારે શાયરી,
આંજેલા અે કાળા કાજળ ને પુછવુ પડે.
ગઝલ માં હોય ભલે વરસાદ ને વાયરા,
તોય "બેઝાર" ને વાદળ ને પુછવુ પડે.
કિશન "બેઝાર"