આંખમાંથી અશ્રુ ક્યારે નીકળે? ખૂબ દુઃખી હોઈએ ત્યારે કે પછી સ્વજન ગુમાવીએ ત્યારે કે પછી કંઈક શારિરીક તકલીફ થઈ હોય ત્યારે. આપણને અશ્રુઓ સારા લાગતા નથી, પણ ક્યારેક આ જ અશ્રુઓ આપણું મન હળવું કરી દેતાં હોય છે.
કોઈકની સાથે મનદુઃખ થયું હોય તો પીડા વધારે થાય છે અને અશ્રુઓ પણ વધારે નીકળે છે. પણ આ અશ્રુઓ સાથે યે વિરહની રાત કાઢવી મુશ્કેલ બની જાય છે.
અશ્રુ વિરહની રાતનાં રોકવા મુશ્કેલ હોય છે અને છુપાવવા એથી પણ વધારે મુશ્કેલ.
- સ્નેહલ જાની
#સુપ્રભાત