*સુકાએલાં આંસુ.*
“ આ નિરાશાના અંધારે ઓરડે, એકલતા દર્દની દીવાલમાં,
હીબકા ભરુંને હસુ બાવરી...
પ્રભુએ આપેલ એક પરી,શોધું હું ક્યમ ગલી અંધારી,
બોલાવું તો ય દૂર ગઇ સરી.
કોને કોસું ને કોને પરહરું! મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઇ સંગમાં ઉડી ગયું...
પડતી આથડતી અવકાશમાં, ખુલ્લી બારી ને મન મૂંઝાયું,
હું જ ખુલ્લાં દ્વાર જઇ ભિડાવું....
એક જ તણખો કે આ દિલ જલે,અચેતન જઇને ‘કો ઢંઢોળે
હું અહિ છું, જીવંત છું”
-૦-૦-૦-૦-
... સરયૂ પરીખ”