થાય છે.
ઈશ્વર તારી ખાતાવહીમાં જબરો ગોટાળો છે,
અમીરોને ધિરાણ ધરાય છે, અને વસૂલી ગરીબો થકી થાય છે.
સત્કર્મો થી જેનો નાતો નથી એવા જીવોને,
રાખમાંથી ઉઠીને સીધા સ્વર્ગમાં જવાની ખેવના થાય છે.
જળ દોષિત સાબિત શી રીતે થાય?
તરનારા ડૂબી જાય ને લાશ કિનારા ભેગી થાય છે.
એકબીજાને ભેટતા ભેટતા બંધ થતાં કમાડો,
દરવાજો બની જતા એકલોઅટૂલો બંધ થાય છે.
ટકતા, અટકતા અને છટકતા આવડી જાય તો,
લટકવા ના દિવસો દૂર થાય છે.
ખુટેલા શ્વાસે ઈચ્છાઓ બાકી રહેતો મોત થાય છે,
ખુટેલી ઇચ્છાએ શ્વાસ બાકી રહે તો મોક્ષ થાય છે.