તકલીફો નથી પૂરી થતી ઈશ્વર બદલવાથી,
રાખવી પડે છે શ્રદ્ધા એના હોવાપણાની.
માનવી તું વામણો માનવ જ રહીશ,
તું સમજ નહિ ઈશ્વર પોતાને; શક્તિશાળી થવાથી.
નહિ મળે ભગવાન તને મંદિર, મસ્જિદ કે ચર્ચમાં નિમિકા,
બની શકે કે મળે તને એ,કોઈ વૃદ્ધની લાકડી થવાથી.
ઘણાં વણઉકેલ્યા રહસ્યો છે આ કુદરતના,
નથી પામી શકાયો એનો તાગ,એક વૈજ્ઞાનિક થવાથી.
નથી સમજી શકી યશોદા એના નટખટ કાનાને,
થયા બ્રહ્માંડ દર્શન એના મુખ ખોલવાથી.
નિમિકા.
#શકિતશાળી
-- Nimika
https://www.matrubharti.com/bites/111450481