આજે જ અસત્ય પર સત્યનો વિજય થયેલો. ધર્મની રક્ષા માટે અને અધર્મીઓના વિનાશ માટે, અવાર-નવાર નરરૂપે અને નારીરૂપે, નારાયણ અને નારાયણી-જગત જનની જગદંબા માં આ સૃષ્ટિ પર જન્મ લેતાં જ હોય છે.
આજના દિવસે નારી શક્તિનો સૌથી મોટો વિજય થયેલો જેથી જ આજનો દિવસ *વિજયા દશમી* નામથી આ પર્વની આપણે ઉજવણી કરીએ છીએ..આજના દિવસનું મહત્વ વિશેષ હોય છે. ચોઘડિયા અક્ષય હોય છે. તમામ શુભ કાર્યો આજના દિવસે કરકામાં આવે છે. આજનો આ દિવસ સંકલ્પનો પણ માનવામાં આવે છે, આજે જે કંઈપણ સંકલ્પ કરીએ તે કદી વ્યર્થ નથી જાતો પણ પરિપૂર્ણ થાય છે...અહંકાર, ઈર્ષા,ઘમંડ, ખરાબ મહત્વકાંક્ષા ને દૂર કરવા માટેનો દિવસ છે. આજના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. શ્રી દિવસે વિશેષ પૂજન કરવાથી સુખ, શાંતિ,સમૃધ્ધિ, ધન,યશ,વૈભવ,ધન, ક્રાન્તિ, કીર્તિ, પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
#વિજયા_દશમી