Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનું નિર્ધારિત કરીએ છીએ ત્યારે એમના પરિણામ નું પહેલા વિચારીએ છીએ. ખરેખર જોતાં એ જ મનોબળ છે કોઈ કરવાનું, પણ શું એ આપણી માનસિકતા જ છે કે ? .
ગીતા માં કહ્યું છે કે ફળ ની ચિંતા ન કરશો ફક્ત કર્મ માં જ તમારો અધિકાર છે , ફળ પર કોઈ અધિકાર નથી.
આપણું ધારેલું પરિણામ આપણી માનસિકતા જ છતી કરે છે જે આપણું ફળ બને છે . બેશક કર્મ નો આધાર એમના પરિણામ પર જ નિર્ભર છે પણ પરિણામ આપણા કર્મ ની આડપેદાશ તરીકે ઓળખવામાં આવે ત્યારે ગીતા અનુસાર નિષ્કામ કર્મ કરીએ છીએ મતલબ એ કર્મ પર આપણો અધિકાર એટલે કે 'મારુ કર્મ , મારુ ફળ' ન રાખવો જોઈએ . તમારા પહેલા પણ આ જ કર્મ ઘણા લોકો એ કર્યું છે અને ફળ પણ મેળવ્યું છે. કર્મ ફળ પર અધિકાર જમાવવાથી આપણે પુર્ણ ફળ ભોગવી પણ શકતાં નથી.
જે પરિણામ વિચારીને કર્મ કરશો તો એ તો મળશે જ પણ એ મળશે કે નહીં એની ચિંતા કરવાની અને ન મળે તો એનો વસવસો કરવાની ગીતા ના પાડે છે.

Gujarati Thought by Jay Vora : 111589500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now