ગીતા મુજબ જ્યોતિષ...
કર્મયોગ : સૌથી બહારનું આવરણ .
માત્ર કર્તાપણા નો ભાવ.
સૂરક્ષા , પરિણામ , વ્યવહાર વગેરે નો આમાં સમાવેશ થાય છે.
જ્ઞાનયોગ : વચલુ આવરણ .
શું કરવું અને શું ના કરવું , જેનાંથી આપણું ભવિષ્ય નક્કી થાય છે.
ભક્તિયોગ : જે અવિનાશી છે તે પરમતત્વ .
આપણે માત્ર બહાર નાં આવરણ માટે જ જ્યોતિષી પાસે જઈએ છીએ જે આવરણ એકદમ સાંયોગિક છે. જેમ કે તમારી કુંડળીમાં એ નથી લખ્યું કે કાલે સવારે કેળા ની છાલ પર તમારો પગ આવાથી તમારુ મૃત્યુ થશે . ગ્રહો નક્ષત્રો ને તમારા કે કેળા સાથે કંઈ જ લેવાદેવા નથી. તમે પડશો એ માત્ર સાંયોગિક છે. જ્યોતિષ માત્ર એટલું કહી શકે છે કે તમારુ મૃત્યુ અકાળે થશે.
આ વાક્ય પછી શરુઆત થાય છે જ્ઞાન ની,મતલબ કે તમે કેળા ની છાલ પર તમારો પગ ન પડે એનું ધ્યાન રાખી શકો છો.જગતમા કંઈ જ પહેલેથી નક્કી નથી હોતું અને સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે કેટલૂક પહેલાંથી જ નક્કી હોય છે. જેમકે એક જ નક્ષત્રમાં જન્મનાર બે વ્યક્તિઓ માથી એક ગરીબ હોય છે અને એક અમીર હોય છે મતલબ એનું ભવિષ્ય કેટલાક અંશે મળી શકે પણ તેમના કર્મો જ તેમને મંઝિલ દેખાડે છે.તંત્ર મંત્ર નો આધાર આ બીજું જ આવરણ છે.
છેલ્લા આવરણ માં સત્ય, સર્જન, વિનાશ નો સમાવેશ થાય છે જે કોઈ દિવસ બદલાતું નથી માત્ર અભિવ્યક્તિ બદલે છે.