Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ એક શ્વાસ નો પ્રયોગ ઘણો પ્રચલિત છે કે માત્ર તમારા શ્વાસ ના આવનજાવન પર ૩૦ સેકન્ડ સુધી ધ્યાન રાખો ચમત્કાર થશે , કેટલી બાલિશ વાત છે ચમત્કાર સિવાય આપણે શ્વાસ માં પણ ધ્યાન નથી આપતા.

ખરેખર આ શિવજીએ પાર્વતીજીને કહેલ ૧૦૮ ધ્યાન માની એક ક્રિયા જ છે.આજની સ્થિતી જોતાં આપણે નાભી અથવા તો પેટ ને બદલે ખાલી છાતી થી જ શ્વાસ લેવા લાગ્યા છીએ જે હાનિકારક છે કારણ કે શરીર માં પુરતો ઓક્સિજન સપ્લાય થતો નથી.કોઈ બાળક ને જોશો તો એ તમને પેટથી શ્વાસ લેતો દેખાશે માટે જ તે હંમેશા જીવનથી તરબતર હોય છે અને આજના જમાનામાં દોડમદોડ થી અંજાઈને આપણે પણ છાતી થી શ્વાસ લેવા લાગ્યા છીએ , પહેલવાન અને સ્ત્રીઓ પોતાની છાતી ફુલાવવા માટે આ રીતે જ શ્વાસ લે છે.
માત્ર ૩ દિવસ કોઇપણ ટેકનિક માં ધ્યાન આપવાથી સરળતાથી શિખી શકાય છે.

Gujarati Thought by Jay Vora : 111581123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now