Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમાજનું બોલતું , ચાલતું , લાગણીશીલ અને જેને પુર્ણ અભિવ્યક્તિ છે એવું પ્રાણી એટલે "માણસ" . જેમાં તમે અને હું , સમાજમાં રહેતા મનચળ માથા પણ સામેલ છે .
જેમ જેમ દુનિયા નવી દિશા તરફ આગળ વધવા લાગી તેમ તેમ માણસના સ્વભાવ બદલાયા , પોતાની વિચારધારા બદલાય , છુટો છવાયો ફરતો માણસ ભિડભાડમા રહેવા લાગ્યો . જેને બનાવ્યા તેનું જ કંઈ રીતે સર્જન થયું , તે છે કે નહી , અને છે તો કયા છે , કેવી રીતે રહે છે , તે શુ કરે છે , તેનો માનવ સમાજ પર કેટલો પ્રભાવ તે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યો . પોતાના અસ્થિત્વને ટકાવી રાખવા બીજાના અસ્થિત્વ પર તરાપ મારવા લાગ્યો . અંતે પોત જ સુત્ર આપ્યું , નાનું પ્રાણી મોટા પ્રાણીનો ભોગ લે છે , અને આ રીતે જ પુરુ સર્જન ચાલે છે . પણ હકીકત એવી છે કે માણસ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જાય છે , કોઈપણ જાનહાની કરી શકે છે .
જે રીતે સર્જન થયું , જેમાં લાખો કે કરોડો વરસ લાગ્યા , તેનું પતન કરવા થોડી જ મિનીટ કે કલાકમાં માનવ પ્રલય કરે એવા હથિયારો વિકસાવ્યા . આજે પુરી દુનિયા હાઇડ્રોજન બોમ્બ અને અણુ બોમ્બની ધગધગતી શિલા પર બેઠી છે . ક્યારે કોણ તે શિલા તોડી માનવ હોનારત સર્જે તે કહેવું મુશ્કેલ છે . યાદ એ પણ રાખવું રહ્યું કે કુરુક્ષેત્રના ભિસણ યુદ્ધ પછી શ્રી કૃષ્ણને પણ અંતે સ્વીકારવું રહ્યું કે "પુરી દુનિયા બસ એક નામ પર જ ચાલસે એ છે પ્રેમ" .
પોતાનુ આયુષ્ય લાંબું થાય એ માટે બીજાનું આયુષ્ય ખતમ કરવામાં આવે છે , પોતાના બાળકના રોગ કે માંદગી દુર કરવા બીજાના બાળકની બલિ આપવામા આવે છે . કુદરતનું સર્જન અને તેની લાગણી બધા જીવ માટે સમાન છે , તો પણ માણસ એક એવું પ્રાણી છે જે આ ચક્રને વિક્ષેપ કરે છે . આજ સુધી કોઈએ એ વાત સાંભળી કે "કોઈ બકરીનું બાળક બિમાર પડ્યું ને માનતામાં કોઈ માણસની બલિ આપવાની વાત કરી ?" ના , એ નહી કરે કારણ કે એ જાણે છે પોતાના સ્વાર્થ માટે બીજાને હણી નાખવુ અયોગ્ય છે . દિવસે ને દિવસે જંગલી પ્રાણી ગામો કે શહેરમાં આવવા લાગ્યા , માનવ મેદની પર હુમલો કરવા લાગ્યા , તેના કારણમાં પણ માનવ જ જવાબદાર છે એ વાત આપ સૌ સારી રીતે જાણો જ છો .
જો કુદરત પુરી સૃષ્ટિને સમાન હક કે સમાન અધિકાર આપતો હોય તો તેના વિરુધ કેમ જવુ જોઈએ ? કે પછી પછી તે સર્જનહાર ને પણ ખ્યાલ નહતો કે " આ મે જે સર્જન કર્યું છે તેમાં મારા સમયચક્ર વિરુધ માણસ ચાલવા લાગશે , પોતાની ઈચ્છા પુર્ણ કરવા મારા સર્જનનો ભોગ લેવા લાગશે , જેને સ્વતંત્ર વિચારધારા આપી તે જ માણસ પહેલો પ્રયોગ આ દુનિયા પર કરશે , અરે આ શુ માણસને સ્વાર્થ આ દુનિયા પુરતો મર્યાદિત નથી રહ્યો , ગગનને છેદી નાંખે એવા યંત્રોનું ઉત્પાદન કરવા લાગ્યો , જ્યા કોઈ પક્ષી પણ નથી પગ રાખી શકતું એવા મંગળ અને ચંદ્ર જેવા ગ્રહ ઉપગ્રહ પર આવી પહોંચ્યો છે ."

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111563286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now