આત્મા એ જ પરમાત્મા છે
માનો તો તે જ શિવ છે, ને જાણો તો એ જ જીવ છે
તન બુદ્ધિનુ વાહક છે, તેમાં ચેતનાનો સંચાર છે
આ સૃષ્ટિની રચયિતા માં ઈશ્વર નો મોટો હાથ છે
સૌ જીવો ઈશ્વર રચિત માર્ગ પર જ વિહરે
પણ અમુક અપવાદ છે માનવજાતમાં
બધા ચોપગા આડા જીવો સીધી ચાલે ચાલે
અમુક બે પગા સીધા માનવીઓ આડી ચાલે ચાલે
બુદ્ધિશાળી માનવ ચેતનાને સંચારિત રાખી
ઈશ્વર ની રાહે ચાલે મોક્ષ પામી ઇશ્વરને પામે
બુદ્ધિહીન માનવી ચેતના ને જડ કરી
કામ ક્રોધ લોભ મોહ લાલસા ને
મહત્વ આપી કેદ કરે પરપોટામાં
જડ ચેતના જાગૃત થશે પરપોટો ફૂટશે પળવારમાં
નશ્વર દેહ પડ્યો રહેશે ચેતના વિલીન થશે ક્ષણવારમાં
#ચેતના
#ચેતના